દરેક દેશના પોતાના વિશેષ રીત રિવાજો અને માન્યતાઓ હોય છે. તેવી જ રીતે હિન્દુ ધર્મમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે જે દેશભરમાં પ્રચલિત છે. તેમાંની એક કાળા દોરા બાંધવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. કાળો દોરો સામાન્ય રીતે ખરાબ નજરથી બચવા હેતુથી બાંધવામાં આવે છે. તેને લોકો હાથ, પગ, ગળા અથવા હાથ ની બાહ પર બાંધે છે. ખાસ કરીને બાળકના જન્મ પછી તેના પેટની નીચે કાળો દોરો બાંધવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો માત્ર હિન્દુ ધર્મની પરંપરા માં જ નહિ, પરંતુ આ દોરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. એમાં કોઈ શંકા નથી કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ તત્વો પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આકાશ છે. આ બધા તત્વો થી શરીરને ઉર્જા મળે છે જે શરીરનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરે છે. આ ઉર્જાને લીધે આપણે જીવનમાં તમામ પ્રકારના આનંદનો અનુભવ કરી શકીએ છીએ.
પરંતુ જો કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ એટલે કે ખરાબ નજર આપણા પર અથવા આપણા કુટુંબ પર પડી હોય તો આ કાળો દોરો તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી શકે છે. હકીકતમાં આ સાધારણ દેખાતા કાળા દોરામાં એટલી શક્તિ છે કે તે તમામ પ્રકારની ખરાબ વસ્તુઓને આપણા પરિવારથી દુર રાખે છે. કદાચ આ જ કારણ છે કે આજની આધુનિક પેઢી પણ આ દોરાને ગળાના લોકેટની જેમ પહેરે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દોરો પહેરે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
તમે એક વાત જરૂર જોઇ હશે કે ભારતીય લોકો ખરાબ નજરથી બચવા માટે હંમેશા કાળા રંગની વસ્તુનો ઉપયોગ કરતા આવ્યા છે. કાળો દોરો અને કાળો ટીકો બંને આપણને ખરાબ દૃષ્ટિની અસરને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે લાલ દોરાનો ઉપયોગ પૂજા અને હવન જેવા શુભ કાર્યો માટે થાય છે તો બીજી બાજુ કાળા દોરાનો ઉપયોગ દુષ્ટતાને દૂર કરવા માટે નજર બટટુ તરીકે માનવામાં આવે છે. કાળો દોરો સામે ઉભેલી વ્યક્તિની ખરાબ નજર અને તેની એકાગ્રતાને તોડી નાખે છે. જેના કારણે દુષ્ટ શક્તિઓ આપણા પર લાંબા સમય સુધી આપણાં પર હાવી નથી રહેતી.
ઠીક છે, કાળા દોરાના આ બધા ફાયદા છે પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો તમારા ભાગ્યની કાયા બદલવાની શક્તિ ધરાવે છે? હા, કાળો દોરો એટલો અસરકારક છે કે તે તમને રાતોરાત સમૃદ્ધ બનાવી શકે છે. એવામા જો તમે પણ આજે અમારા આ વિશેષ અને સરળ ઉપાય અપનાવવા માંગતા હોય તો આ માટે તમારે બજારમાંથી રેશમ અથવા કાળા સુતરાઉ દોરો લઈ આવવો પડશે. હવે મંગળવાર કે શનિવારે આ કાળા દોરાને હનુમાન મંદિરમાં લઇ જઇને નાની-નાની ગાંઠ વાળો અને ભગવાન હનુમાનના પગનું સિંદૂર લગાવો.

દોરાના શુદ્ધિકરણ પછી તમે હવે આ દોરાને ઘરના મુખ્ય દ્વાર એટલે કે દરવાજા પર બાંધી દો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાની અછત ક્યારેય નહીં આવે અને તમે હંમેશા શ્રીમંત રહેશો. ફક્ત આટલું જ નહીં, દોરો બાંધ્યા પછી તમારા ઘરમાં નવી ખુશી આવશે અને તમારા પરિવાર અને ખુશીઓને કોઈની પણ ખરાબ નજર અસર નહીં કરી શકે.